real patidar

93 posts

OE 69 – આખિર શું કરવું છે સતપંથ વાળાઓને? / After all what are Satpanthis upto?

Date: 24-Jul-2018 એક બાજુ ઉમિયા માતાજી ઊંઝા સામે સતપંથથી જ્ઞાતિને છોડાવવાનું વચન આપે છે અને બીજી બાજુ… સતપંથને વધુ મજબુતાઈથી પકડી રાખે છે.   આખિર શું કરવું છે સતપંથ વાળાઓને? આપ સૌ જાણો છો કે સતપંથ વિવાદ અંગે ઉમિયા માતાજી ઊંઝા દ્વારા આપાયેલ ચુકાદા પ્રમાણે સતપંથ વાળાઓએ સતપંથનો સંપૂર્ણ પણે ત્યાગ કરી સનાતન હિંદુ ધર્મમાં ભળી જવાનું છે. આ અંગે સતપંથ વાળાઓએ ઉમિયા માતાજી ઊંઝાને ખાત્રી આપેલ છે કે તેઓ ચુકાદાનું સંપૂર્ણ પણે પાલન કરી સતપંથ છોડી દેશે. પણ બીજી બાજુ જમીની પરિસ્થિતિ વિપરીત છે. સતપંથ વાળાઓ પોતાનો સતપંથ ધર્મ, જે મુસલમાન ધર્મનો ભાગ છે, તેને પકડી રાખેલ છે. હાલમાં થોડા દિવસ પહેલાજ કચ્છ ગામ દુર્ગાપુર નિવાસી, શ્રી અર્જણ કરસન ધોળુ ગુજરી ગયા. તેઓના શરીરને અગ્નિદાહ દેવાના બદલે દફનાવવામાં આવ્યું. આ ઘટના મહત્વની હોવાના ચાર મુખ્ય કારણો છે. ૧) ઉમિયા માતાજી સંસ્થા વાંઢાયની ગત સામાન્ય સભામાં સતપંથના પ્રમુખ શ્રી દેવજી કરસન ભાવાણી અને શ્રી રતનશી લાલજી વેલાણી એ મંચ ઉપરથી […]

Series 71 -Pirana Sandal Ceremony 2017 / પીરાણા સંદલ ક્રિયા ૨૦૧૭

15-Jan-2018 પીરાણા સ્થિત ઈમામશાહની દરગાહમાં દર વર્ષે, ઈરાનથી ઇસ્લામનો પ્રચાર કરવા આવેલ સૈય્યદ ઇમામુદ્દીન અબ્દુર રહીમ, ઉર્ફે ઈમામશાહ બાવાની કબર ઉપર લાગેલ માટીની બદલવામાં આવે છે. આ ક્રિયાને સૈય્યદ  ઈમામશાહ બાવાના વંશજ સૈય્યદોના હાથે કરવામાં આવે છે. જેણે સંદલ ક્રિયા કહેવામાં આવે છે. દર વર્ષની જેમ, વર્ષ ૨૦૧૭માં આ ક્રિયા ૨૧-૦૬-૨૦૧૭ ના કરવામાં આવેલ હતી. તેનો વિડીયો અહીં જોડેલ છે અને આપ જોઈ શકો છો….. Youtube Link: https://www.youtube.com/watch?v=f53mZw7H60s&feature=youtu.be પરંપરા એવી છે કે કબરને ઠંડી રાખવા માટે માટીનો લેપ કરવામાં આવે છે. આ લેપમાં કરબલા (ઇરાક દેશમાં આવેલ એક શહર, જ્યાં, શિયા મુસલમાનના સર્વોચ્ચ, હઝરત મૌલા અલીના દીકરા ઈમામ હુસૈનની શહાદત થયેલ હતી), એટલે એ જગહની માટીને સુગંધિત સંદલના સાથે અન્ય વસ્તુઓ સાથે મેળવીને એક લેપ તૈયાર કરવામાં આવે છે. ઈમામશાહ દરગાહના “ઉર્સ” ના દિવસે ઈમામશાહના વંશજ સૈય્યદો, કબર ઉપર લાગેલ જુના લેપને ધોઈને કાઢી નાખે. એ ધોઈલી કબર ઉપર ઉપર બતાવેલ પ્રમાણે બનાવેલ નવો લેપ લગાડવામાં આવે છે. પરંપરા પ્રમાણે ધોયેલી […]

OE 68 – Patidar Sandesh supports Sanatan Movement / પાટીદાર સંદેશ દ્વારા સનાતની મોહીમને ટેકો

તા. ૨૫-૧૧-૨૦૧૭ જય લક્ષ્મીનારાયણ, સામાન્ય રીતે કેન્દ્રિય સમાજ તેમજ સનાતન ધર્મના વિરુદ્ધ અથવા સનાતની મોહીમ ઢીલી પડતા કામોની ટીકા આપણા રીયલ પાટીદાર વેબસાઈટ ઉપર થતી હોય છે. તે પ્રમાણે આથી આગાઉ પાટીદાર સંદેશ દ્વારા થયેલ સનાતની મોહીમને ઢીલી પાડતા લખાણોનું સવિસ્તાર મુદ્દાસર તમની ભૂલ બતાવતા લખાણ જનતા સામે મુકવામાં આવેલ હતાં. પણ આજે જ્યારે પાટીદાર સંદેશે સનાતન ધર્મ અને કેન્દ્રિય સમાજના તરફેણમાં લખ્યું છે, ત્યારે તેમની વાતને વધાવી લેવાની ફરજ પણ એટલીજ છે. ભલે અમુક બાબતોમાં હજી તેમની પાસે સમાજની જે આશા અને અપેક્ષા છે, તેના પર તે ખરા નથી ઉતર્યા, પણ શુરૂવાત કરવા બદ્દલ તેમને ધન્યવાદ પાઠવવો તો રહ્યોજ. હાલના નવેમ્બર ૨૦૧૭ના અંકના તંત્રી લેખમાં પાટીદાર સંદેશના તંત્રીઓએ જે ઉમિયા માતાજી ઊંઝાએ તા. ૦૮-૧૦-૨૦૧૭ ના સતપંથ વિવાદ અંગે આપેલ નિર્ણયને વધાવી તેનું સાચા Spirit (ભાવના) થી પાલન કરવા સમસ્ત કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને જે આવાહન તંત્રીશ્રીઓ તેમના તંત્રો લેખમાં (તંત્રી લેખની નકલ અહીં જોડેલ છે) કરેલ છે, તે માટે […]

Series 69 -Goal of Ghatkopar Nav Yuvak Mandal / ઘાટકોપર નવ યુવક મંડળનો મુખ્ય ઉદ્દેશ

તા. ૨૪-જુલાઈ-૨૦૧૭ ઘાટકોપર નવ યુવક મંડળની સ્થપનાના ઉદેશોની રોશનીમાં આપણે જોશું કે… મુંબઈ સ્થિત ક.ક.પા. જ્ઞાતિ ટ્રસ્ટ ફંડનું ઈલેક્શન જે તા. ૩૦-જુલાઈ-૨૦૧૭ ના રાખેલ છે, તે ઈલેક્શનમાં ઉભી થતી શું પરિસ્થિતિ છે અને તેમાં જાહેર જનતાએ કયો વિચાર કરીને પોતાના મતો આપવા જોઈએ, તેના પર એક નજર નાખીશું…. ૧) આ ચૂંટણી માત્ર મુંબઈની ઝોન ૧ માં જ છે. જેમાં મુંબઈ સી.એસ.એમ.ટી થી મુલુંડ સુધીનો વિસ્તાર આવે છે. અન્ય ઝોન (વિસ્તાર) માં ચૂંટણી નથી કારણ તેમાં સહમતીથી ઉમેદવારોના નામ પસંદ થઇ ચૂક્યાં છે. ૨) ઝોન ૧ વિસ્તારમાં ઘાટકોપર અને મુલુંડ એવા બે મુખ્ય વિસ્તારો છે, જેમાં ઘાટકોપરનો વિસ્તારજ બહુ મહત્વનો છે. ૩) આ ચૂંટણીમાં મુખ્યતઃ બે પક્ષો છે, એક છે “એકતા” ગ્રુપ અને બીજો છે “જાગૃતિ” ગ્રુપ. ૪) આ બન્ને ગ્રુપમાં મૂળભૂત વિચારધારામાં શું ફરક છે તે સમજવાનો પ્રયત્ન છે… ૫) એકતા ગ્રુપનો પ્રચાર હમેશા એવો રહ્યો છે કે આપણે (એટલે હિંદુઓએ) હમેશા મુસલમાનો (એટલે સતપંથીઓ) સાથે ક.ક.પા. સમાજમાં એકતા રાખવી […]

OE 66 – Mahesh Dhanji Velani Controversy / મહેશ ધનજી વેલાણી વિવાદના ધેરામાં

Date: 23 April 2017 મુંબઈની કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં ચાલતી ગંદી અને સ્વાર્થી સામાજિક રાજરમતના શિકાર શ્રી મહેશ ધનજી વેલાણી (અંદરની તેમજ સચોટ જાણકારી સાથે છેલ્લા લગભગ પાંચ થી છ વર્ષની ઘટના ક્રમનું વિશ્લેષણ) (પોતાના અંગત સ્વાર્થ ખાતર કોઈ પણ કીમતે ઉચ્ચ પદ અને સત્તા મેળવવા માટે જુઠ્ઠાણા / અપપ્રચાર / છેતરપીંડી / દગાનો વાપર કરીને પોતાના રાજનૈતિક રોટલા શેકીશેકતા નેતાઓનો એક નમુનો) આ લેખ લખવાનું મુખ્ય કારણ છે સનાતન ધર્મ પત્રિકામાં, સતપંથી શ્રી દેવજી કરસન ભાવાણી અને શ્રી ઈશ્વર રામજીઆણીને, સનાતન સમાજ દ્વારા આપેલ શુભેચ્છા સંદેશનો ભારતભારમાં થતો બહુ મોટો વિરોધ. જે વિષે સંપૂર્ણ જાણકાર લોકો સામે મુકવાનો પ્રયાસ છે.     શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં સતપંથ વિરુદ્ધ સનાતની ચળવળના ભાગ રૂપે કેન્દ્રીય સમાજના મુંબઈ ઝોનમાંથી મહામંત્રી શ્રી દેવજી કરસન ભાવાણીને કાઢવામાં આવ્યા અને શ્રી દેવજીભાઈને સાથ આપવાના અને ઝોનના વિરુદ્ધ જવાના કારણે તત્કાલીન ઝોનના પ્રમુખ શ્રી મનસુખ વેલાણીને ઝોનમાંથી કાઢવામાં આવ્યા. ત્યાર બાદ વર્ષ ૨૦૧૨માં કુખ્યાત માંડવી […]