Series 28 – How to counter the threat posed Mavals / મવાળ લોકો સામે કેવાં પગલાં લેવા.

Update: 13-Jan-2017 – Changed links to archive.org


25-Dec-2010

|| Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ ||

મવાળ લોકો સામે અસરકારક પગલાં રૂપે રમેશભાઈએ જે પાંચ સુત્રી કાર્યક્રમ (નીચેનો ઈમૈલ જુવો) આપણી સમક્ષ મુક્યો છે, તેને બહુ ગંભીરતા પૂર્વક સમજીને ચુસ્ત પણે પાળવો જરૂરી છે.
In order to counter the threat posed Mavals, I fully support the Five Point Program suggested Rameshbhai Vaghadiya (see the email below). I feel it to be a very important step and we all should strive to follow the program as early as possible.

રમેશભાઈની વાત આગળ વધારતા હું તમને એક વાત પૂછવા માંગું છું. તમે કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે આપણા સમાજમાં માવળ કહો કે દૂધ દહીં બન્ને માં પગ રાખવા વાળા કહો એ કેમ આવડા વર્ષો થી ફાવી શક્યા છે? આપણે સમાજ ના હિત માટે રાડો પડીએ અને આપણા આંતરડાની બળતરા વ્યક્ત કરીએ તોય, આવા માવળ લોકો આપણા સાથે બેસીને આપણા બને અને આપણા થી અલગ થાય એટલે તરતજ ખાનાઓ અને મુખિયો માં આપણી માહિતીઓ મોકલાવે. આપણી લાગણીઓને અંદરખાને રોજ દુભાવતા હોય છે તેમજ આપણ સમાજને નુકસાન પણ કરતો હોય છે.. આપણે જાણીએ છીએ, તોય કેમ આવા માવળ આપણા વચ્ચે ફાવી શકે છે.
Taking forward Rameshbhai’s views, I feel like asking a very important and relevant question to you. The question is that have you ever thought why the Maval People (people who are members of ABKKP Samaj, but their faith and belief is always Satpanth Samaj) have been able to remain in the samaj for so long? While in the interest of our samaj, we shout from the top of our throat and share our deep heat felt feelings, these Mavals would listen to us like being one of us, out ever giving any sort of hint. But at the very next moment these very people pass on the information to Khanas (place of worship of Satpanth) and Mukhis (the administrator of Khana). These people hurt the feels of our people the full knowledge of everybody, but ironically nobody could do much against them. They also do not hesitate in hurting the interests of our samaj.

ઊંડાણ પૂર્વક વિચાર કરશો અને આ સમસ્યાના મૂળમાં જોશો તો ખબર પડશે કે એક માવળ ને કોઈ પણ જાત ની બીક હોતી નથી. હિંદુ સનાતન ધર્મ વાળા અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ માં તેમને ખાત્રી છે કે કોઈ તેમના સામે પગલાં નહિ લે. કેદાચ કોઈ કારણસર અપવાદ રીતે ક્યાંક મુશ્કેલી આવી તો સતપંથ સમાજ વાળા તો છેજ. તેવો (માવળ) ત્યાં ભળી શકશે. અ.ભ.ક.ક.પા. સમાજ ના દરવાજા સતપંથીઓ માટે ખુલા છે એટલે થોડા મહિનાઓ પછી પાછા એ સમાજમાં ભળી જશું તો કોઈ ક્યાં બોલવાનું છે. આમ સમજીને માવળને કોઈ જાતની બીક નથી એટલે તેવો તેમની લાગણી અને આસ્થા સતપંથ સમાજમાં રાખીને સનાતન સમાજમાં ભળવાનો ડોલ કરતા આવ્યા છે. કારણ કે આમ કરવાથી તેમના કોઈ કામ અને સામાજિક વ્યવહાર અટકતા નથી.

If one tries to go to the roots of the issue, you will understand that these Mavals do not fear anything. They know that the ABKKP Samaj will not take any action against them. Even if as an exception in case there is some trouble, they have Satpanth samaj, who would readily adopt them. Since ABKKP Samaj’s doors are open for Satpanthis, then after few months, they can rejoin the ABKKP Samaj. In this way they have been able to play the feels and ultimately hurt the feelings of Sanatan Samaj. With this complete understanding, they do not have to worry anything about. Because neither would they get stuck some where nor would their social needs would get adversely affected.

ઉપર જણાવેલ મુદ્દો બહુ ગંભીર હોવાથી આપણે આ Loop Hole પહેલો બંદ કરવો જોઈએ. આ લૂપ હોલ બંધ કરવા માટે રમેશભાઈ એ જે પાંચ સુત્રી કાર્યક્રમ જણાવ્યો છે, તેનો અમલ તાબડ તોબ થવો જોઈએ.

  • તેમજ આવનાર સતપંથી ને કમ સે કમ દસ વર્ષ સુધી સનાતન સમાજમાં કોઈ હોદ્દો ના આપવો જોઈએ.
  • તેમજ તેમની નિષ્ઠા આપણા સનાતન સમાજ પ્રત્યે છે, તેની ચકાશણી થવી બહુ જરૂરી છે.
  • એવી ખાત્રી કરવા માટે આવનાર સતપંથી પાસે થી સતપંથ ધર્મ એક મુસલમાની ધર્મ નું ફાંટું છે એવું અભિપ્રાય આપતા જાહેર ભાષાનો આપણા સમાજમાં કરાવડાવ જોઈએ (વર્ષે એક વખત દિવાળી પછી જયારે સમાજ મળતી હોય ત્યારે કરાવડાવ જોઈએ).
  • તેમજ સતપંથ ધર્મ સામે આપણા સમાજના લોકોને જાગરુક કરવામાં સક્રિય કામ કરાવ્ડવા જોઈએ.
  • સતપંથ ધર્મ આપણા લાયક નથી તેવો અભિપ્રાયો તેમજ નાટકો પણ વારમ વાર કરી શકાય.
  • સ્વાધ્યાય ના ભક્તિ ફેરીના સિધાંતો આપનાવી અને આ કામ કરીએ તો બહુ અસરકાર અને સફળ બની શકે તેમ છે.
  • ખાસ મુદ્દો એ છે કે આવનાર વ્યક્તિએ જાહેર રીતે પોતાનું વલણ સમાજ સામે સતત મુક્ત રહે અને તેના વ્યવહાર સનાતની ના છે એવું સમય સમય પર તપાસ થવી જોઈએ.સતપંથ સમાજ સાથે બધાજ સંબંધ તોડી નાખ્યા છે અને સનાતન સમાજ માં પૂર્ણ રીતે ભળી ગયો છે એવી ખાત્રી કરાવી શકાય એવી વ્યવસ્થા હોવી જોઈએ.

આવી રીતે દસ વર્ષ સુધી તેમના અવ્હારનો પર સમાજ નજર રાખે અને સંતોષ કારક જણાય પછીજ તેમનું સભ્યપદ મંજુર કરે.

We need to plug this loop hole on an immediate war footing. In order to close this loop hole, we need to implement the 5 point program suggested Rameshbhai immediately and in addition should do the following;

  • Incoming Satpanthis should not be allowed to hold offices of responsibility in our samaj for a minimum 10 year period.
  • We should on a timely basis check upon that the loyalty of the incoming satpanthi person is our samaj ONLY.
  • We can ask the incoming satpanthi person to give public speeches explaining why Satpanth is a muslim sect. This can be done atleast during every new year celebrations after diwali.
  • It should be impressed upon him to work and assist in enlightening people of our samaj about Satpanth being a muslim sect.
  • From time to time, he should take an active role in efforts to give a clear message that Satpanth religion is not suitable for our samaj. Theatre dramas can also be organised.
  • Principles of Swadhya’s Bhakti Feri can also be adopted to ensure the success.
  • More importantly incoming Satpanthi should be asked to make pro Sanatani conduct and behaviour in front of Public.
  • It is important to have a system to ensure that the incoming Satpanthi has fully absorbed himself in Sanatan Samaj AND has fully cut his relations Satpanth samaj.

In this way for 10 years the samaj should watch the conduct and behaviour and only after being satisfied, his membership should be fully accepted.

રમેશભાઈ ના પાંચ સુત્રી કાર્યક્રમ અને ઉપર જણાવેલ મુદ્દાઓ ને અમલ માં મુકવાથી જે ફાયદો થશે એ એમ હશે કે સમાજને તોડવા વાળા મવાળ ને બીક લાગશે કે જો હું કઈ ખોટું કરીશ ને જો સમાજ મને કાઢી નાખશે તો પાછો આ સમાજમાં ભળી નહિ શકાય. જેથી તેની લાગણી અને નિષ્ઠા આ સમાજમાં જળવાઈ રહેશે. કડક પાલન કરવાથી આપણી આવતી પેઢી ને આ સમસ્યાથી મુક્ત કરી શકવાની ક્ષમતા આ કાર્ય ક્રમ માં છે.
Rameshbhai’s suggested 5 point program and the points suggested above, if implemented properly, the benefit for the samaj would be that these Mavals would fear that upon their any wrong doing, if samaj throws them out, then it would become practically impossible to get the membership again. This fear would ensure that their faith and loyalty would always be the ABKKP Samaj. Strict implementation of this program would ensure that our next generation does not have to suffer what we are suffering today.

આ કાર્ય ને વહેલી તકે પાર પાડવા માટે જે એકલ દોકલ ને આપણા આમજ માં ભળવું હોય, તેવા લોકો ને એક તરીક (દાખલા તરીકે ૩૧-માર્ચ-૨૦૧૧) સુધી આવવા વાળાને સમય આપીને પછી ફક્ત સામુહિક રૂપે (રમેશભાઈ વાઘડીયા ના સુચવેલ પાંચ સુત્રી કાર્યક્રમ પ્રમાણે) ભેળવવા જોઈએ અને મારા દ્વારા ઉપર સુચવેલ મુદ્દાઓનો પણ કડક રીતે અમલ માં મુકવા જોઈએ.
In order to implement this program at the earliest, we should set a cut-off date (ex. 31-Mar-2011) for the single one off cases who want to adopt Sanatan religion and join our samaj. After that date only group of people, as suggested in the 5 Point Program, should be adopted only after STRICTLY following the above mentioned points.

આમાં કઈ મહત્વનું છૂટી જતું હોય તો ખાસ ધ્યાન દોરવા માટે આપ સહુને વિનંતી કરું છું.
In case something important is missing, kindly bring it to our notice.

Real Patidar
www.realpatidar.com

 


———- Forwarded message ———-

From: Rameshbhai Vagadiya <rameshbhaivagadiya@gmail.com>
Date: 2010/12/24
Subject: જ્ઞાતિમાં પાંચ સુત્રી કાર્યક્રમ ને અમલ માં લાવવો અત્યંત જરૂરી
To: Real Patidar Groups <realpatidar@googlegroups.com>

મારા વહાલા કચ્છ કડવા પાટીદાર સનાતની યુવાન મિત્રો,

રમેશ વાગડિયા ના અત્યંત પ્રેમભર્યા નમસ્કાર.

આ ઈમૈલ સાથે મેં એક પાંચ સુત્રી કાર્યક્રમ મોકલાવેલ છે.  

આખી જ્ઞાતિને સનાતની તરીકે એક તાંતણે બાંધવી હશે તો યુવાનો ને જાગૃત કરવા પડશે. મને અને હિંમત ભાઈ ને અત્યંત ખુશી છે કે જયંતીભાઈ લાકડાવાલા ની પ્રમુખ તરીકે ની અને અત્યારની સનાતની ગૌરાંગભાઈ ના પ્રમુખ તળે ની  યુવા સંઘની આગેવાની હેઠળ જ્ઞાતિમાં ખુબજ જાગૃતિ આવી ગયી છે. આપણી કેન્દ્રિય સમાજ ના નેતૃત્વમાં પણ એક જાતની જાગૃતિ અને ખુમારી જાગૃત થઇ છે તે સારી વાત છે. છતાં પણ કેન્દ્રિય સમાજના આદેશોનું દરેક ઝોનો તથા દરેક ઘટક સમજો માં ચુસ્તતા થી અમલ થાય તે માટે યુવા સંઘે હજુ વધરે જાગૃત રહેવું પડશે. કેન્દ્રીય સમાજના આદેશોનું પાલન જે રીતે થવું જોઈએ તે રીતેજ થાય તો આપણો  હેતુ બર આવે. તે માટે સમાજની યુવા પાંખ  અત્યારની આગેવાની હેઠળ ખુબજ ઉમદા કાર્ય કરે છે અને ભવિષ્યમાં પણ કરતી રહેશે તેનો મને પૂર્ણ વિશ્વાસ છે.

તમ યુવાનો ની જાણ ખાતર આ ઈમૈલ સાથે પાંચ સુત્રી કાર્યક્રમ મેં મોકલાવેલો છે તે તમે દરેક યુવાનો વાંચી ને તેને જ્ઞાતિમાં  જેમ બને તેમ જલ્દી અમલ કઈ રીતે કરી શકાય તેનું ફીડબેક  હું તમારી પાસે થી જાણવા માંગુ છું. મને આશા છે કે તમે આને યોગ્ય પ્રતિસાદ આપશો.

એજ તમારો આત્મીય

રમેશ વાગડિયા

————————————————

કચ્છ કડવા પાટીદાર સનાતની જ્ઞાતિનો

પાંચ સુત્રી કાર્યક્રમ

૧. સત્પનથીઓ સામુહિક રીતે (એકલ-દોકલ નહીં) પીરાણા નો હંમેશને માટે (સદંતર) ત્યાગ કરે અને અત્યારે જે તેઓ ઈમામશા બાવાની કબર ની પૂજા કરે છે તે કબર અને પીરાણામાં જે કંઈ સ્થાવર મિલકત છે તે ઈમામશા બાવાના વન્સજોને (પીરાણા ના સૈદોને) અર્પણ કરી આવે. કારણ એજ કે જ્યાં સુધી પીરાણા મોજુદ હશે ત્યાં સુધી આ સત્પનથી ભાઈઓનું મન ત્યાં જ ભટકયા કરશે (ના રહે બાંસ ના બજે બાંસુરી).

૨. અત્યાર સુધી આપણા જ પૂર્વજોએ ૫૦૦ વરસથી પીરાણે આપતા રહેલ દશોન્દ-વિશોન્દ અને અન્ય લાગાઓ થી જે કંઈ ખજાનો બન્યો છે તેનો સાચો રીપોર્ટ અત્યારના પીરાણા ના આગેવાનો કેન્દ્રીય સમાજને આપે અને કેન્દ્રીય સમાજ માં તે ખજાનો બીન-શરતે જમા કરાવે (કારણ કે આ ખજાનો આપણા પૂર્વજોએ આપેલ દશોન્દ, વિશોન્દ અને અન્ય લાગાઓ થી જ બનેલો છે).

૩. આપણા જ પૂર્વજોએ ગામે ગામ ઉભી કરેલી ખાના ની મિલકત અત્યારે જે નામથી હોય (જ્યોતીધામ અથવા તો નિષ્કલંકીધામ કે અન્ય જે નામે હોય) તેનું કાયદાકીય રીતે જે તે ગામ ની શ્રી લક્ષ્મીનારાયણ સનાતન સમાજમાં વિના શરતે વિલીનીકરણ કરી નાખે.

૪. નખત્રાણા માં જ્ઞાતિની કેન્દ્રીય સમાજ હોવા છતાં તેની પ્રતિસ્પર્ધા કરવા હેતુ માત્ર થી નખત્રાણા માં જ ઉભું કરેલું નિષ્કલંકી ધામમાં થી બાવા ઈમામશા અને નિષ્કલંકી નો ત્યાગ કરી તે મિલકત કેન્દ્રીય સમાજ માં વિના શરતે કાયદાકીય રીતે વિલીનીકરણ કરી નાખે.

૫. જે સત્પનથી ભાઈઓ (સામુહિક રીતે) સનાતની ઓળખ ધરાવતી કેન્દ્રીય સમાજ માં અથવા તો જે તે ગામોની સનાતન સમાજો માં ભળવા માગતા હોય તેઓ તેમના ઘરે અને વ્યવસાઇક સ્થળોએ પીર ઈમામાંશા અને તેના જ ભેજાની પેદાશ એવા નિષ્કલંકી ના ફોટાઓ નો સદંતર ત્યાગ કરે. (આપણા હિન્દુ શાસ્ત્રમાં દશમા અવતાર તરીકે કલકી ભગવાન જન્મ લેશે તેવો ઉલ્લેખ છે, નિષ્કલંકી નો ઉલ્લેખ ક્યાંય નથી. તે ઈમામશા બાવા ના ભેજાની પેદાશ માત્ર છે).

ઉપરના પાંચ સુત્રોનું ચુસ્તપણે પાલન કરે તો જ આપણે સત્પન્થીઓ ને સામુહિક રીતે ભેળવી શકીએ અન્યથા નહિ.

એકલ દોકલ ને હવે પછી ભેળવવાનું બંધ કરીએ. તે માટે તારીખ અને દિવસ નક્કી કરીએ. આટલું હવે નહીં કરીએ તો સંપૂર્ણ જ્ઞાતિ ને એક તાંતણે બાંધી નહિ શકીએ અને જ્ઞાતિ પહેલાં ની જેમ ધાર્મિક રીતે અસ્પષ્ટ થઇ ને અંધારામાં અથડાયા કરશે – ઠોકર ખાતી રહેશે.

અત્યારે જાણવા મળ્યું છે તે મુજબ પીરાણા ના લાગતા વળગતાઓએ (કર્તાહર્તાઓ એ) સત્પનથી ભાઈઓ માટે એક ફતવો બહાર પાડ્યો છે કે “હમણાં ગામે ગામ ની સમાજો માં સત્પનથી ભાઈઓ પર પસ્તાળ (ભજ) પડી છે એટલે સમાજ જેમ કહે તેમ સનાતની બની ને ભળી જાઓ. થોડા દિવસ પછી આ સનાતની જુવાળ ટાઢો પડશે ત્યારે ફરી પાછા આપણે સમાજમાં સતપંથ નો પ્રચાર કરી શકીશું”. એટલા માટે આપણે સૌ સનાતાનીઓ એકલ – દોકલ સત્પનથી ને ભેળવવાનું બંધ કરીએ અને હવે આપણી સનાતની સમાજોમાં એ લોકોને ભેળવવા હોય તો ઉપર જણાવેલ પાંચ સુત્રી કાર્યક્રમ નો ચુસ્ત પણે અમલ કરાવી સામુહિક રીતે ભેળવીએ તોજ જ્ઞાતિમાં એકવાયતા જળવાશે અન્યથા નહિ જળવાય. સમાજમાં આ રીતે સનાતન ધર્મ બાબતે એકવાયતા જળવાશે અને તેના ફળ ૫-૧૦ વરસે આપણી સનાતની ઓળખ ધરાવતી કેન્દ્રીય સમાજને મળશે તે ચોક્કસ વાત છે.

રમેશભાઈ માવજીભાઈ વાગડિયા

બેન્ગલોર – ૧૦.૧૨.૨૦૧૦

—————————————-


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/jmrimteembeq71ya21mv

https://archive.org/details/Series28-howToCounterTheThreatPosedByMavals

Leave a Reply