Series 57 – About Satpanth in “Narendra Modi The Man The Times” / સતપંથ ઉપર “નરેન્દ્ર મોદી એક શક્શીયત એક દૌર”

10-Oct-2014

શ્રી ઉમિયાયૈ નમઃ
જય લક્ષ્મીનારાયણ

હાલમાંજ એટલે કે ચાલુ વર્ષ ૨૦૧૪માં જ એક નવું પુસ્તક બહાર પાડવામાં આવેલ છે, જેનું નામ છે “નરેન્દ્ર મોદી એક શક્શીયત એક દૌર”. આ પુસ્તકમાં સતપંથ અને પીરાણાની ઈમામ શાહ દરગાહ ઉપર થોડી માહિતી આપવામાં આવેલ છે. જેમાં જાણવા લાયક મુખ્ય મુદ્દાઓ નીચે જણાવેલ છે.

નરેન્દ્ર મોદી એક શક્શીયત એક દૌર
નરેન્દ્ર મોદી એક શક્શીયત એક દૌર
  1. પીરાણા સ્થિત ઈમામ શાહ દરગાહનું ફોટું આપવામાં આવેલ છે. જેમાં હાજર બેગની કબર સાફ દેખાય છે.
  2. ઈમામ શાહના અનુયાયીઓમાં ઘણા લોકો મૂળ કચ્છના વતની છે.
  3. ૫૦૦ વર્ષ પહેલા ઈમામ શાહએ આ સંપ્રદાયને શરુ કર્યો.
  4. તેના અનુયાયી, જેને સતપંથી કહેવામાં આવે છે, તેઓએ ઇસ્લામ અને હિંદુ પરંપરાને જોડીને પોતાનો અલગ સંપ્રદાય બનાવ્યો.
  5. મુસ્લિમ અનુયાયીઓ, જેને સૈયદ કહેવામાં આવે છે, તેની સાથે પટેલ એકીકૃત થયા.
  6. ૧૦ લોકોની એક પરિષદ હોય છે, જેમાં ૭ પટેલ હોય છે અને ૩ સૈયદ મુસલમાન હોય છે. આ બધાને કાકા કહેવામાં આવે છે.
  7. હાલમાં માત્ર આ સંપ્રદાયને બાહ્ય રીતે હિંદુ “રંગ” આપવામાં આવેલ છે.
  8. આ જગ્યાને મૂળ રીતે મકબરા અને દરગાહ કહેવામાં આવે છે.
  9. પીરાણાનો મૂળ દ્વાર પર ઇસ્લામી વસ્તુ કલાનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે – તે મૂળ દ્વારને બંદ કરી દેવામાં આવેલ છે.
  10. પીરાણા એ પોતાનું મૂળ અધ્યાત્મિક જોર ખોઈ દીધું છે.

આ પુસ્તકના મુખ્ય પાનાઓ આ સાથે જોડેલ છે.

Real Patidar


Download / Print: https://archive.org/details/series57

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading