OE 10 – Clear Cut order ABKKP Samaj to debar all Satpanthis dt. 01-Jul-2010 / અ.ભા.ક.ક.પા.સ. નો તા.૦૧-૦૭-૨૦૧૦નો બહાર પડેલો, ચોખો આદેશ, જેનાથી સતપંથીઓને સમાજથી દુર કરવા

Clear Cut Order from ABKKP Samaj to debar all Satpanthis
Clear Cut Order from ABKKP Samaj to debar all Satpanthis

09-Jul-2010
સર્વે જ્ઞાતિ જનો,

આપડા કેન્દ્રીય સમાજ એટલે કે અ.ભા.ક.ક.પા.સમાજે જે તા ૨૫.૦૩.૨૦૧૦ ના શ્વેત પત્ર બાહર પડ્યું હતું તે શ્વેત પત્ર ના જણાવેલ આદેશ ને અમલ મા લાવા હેતુ થી કેન્દ્રિય સમાજે ચોખવટ કરતો એક બીજો આદેશ બાહર પડ્યો છે. આ આદેશ પત્રની નકલ આ email સાથે જોડેલ છે.

આ આદેશ પત્ર મા જણાવેલ પ્રમાણે દરેક ઝોનને તાકીદ કરવામાં આવ્યું છે કે આપડા પંચમ અધિવેશનમા પાસ થેયલ કલમ 18 અને 19 ને ધ્યાન મા રાખીને દરેક ઝોને પોતે તેમજ પોતાના ક્ષેત્રમા આવતા દરેક સમાજના બંધારણ અને ધારા ધોરણને યોગ્ય રીતે સુધારીને તેની નકલ કેન્દ્રીય સમાજમાં મોકલવાની રહેશે.

જો કોઈ પણ વ્યક્તિ કે સમૂહ આ આદેશનું ઉલ્લંઘન કરશે તો તે વ્યક્તિ કે સમૂહ સમાજ ના સભ્ય નહીં રહી શકે.

જ્ઞાતિ ના રીત રીવાજ ને અમલમાં મુકતા આવા ચોખા આદેશ બાહર પડવું પાછું એક ઐતિહાસિક કદમ છે.

દરેક ઝોન અને સમાજે આ આદેશનો બને તેટલો જલ્દીથી અમલ કરે એવી મારી વિનંતી છે.

કેન્દ્રીય સમાજ અને તેના હોદેદારો તેમજ આ આદેશ ને બહાર પાડવા પાછળ જે લોકોએ કામ કર્યું છે તેવા લોકોને ઘણા ઘણા અભિનંદન અને આભાર.

લી.
Real Patidar / ખરો પાટીદાર


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/ibpm3ozdd2


https://archive.org/details/OE010

Leave a Reply