niyani

1 post

OE 56 -Mameru – Daughters used as Shields / મામેરું – નિયાણી દુઃખી ન કરો -ઢાલ બનાવીને સનાતનીઓને ગુમરાહ કરવાના પ્રયત્નો

14-Apr-2014 ||  જય લક્ષ્મીનારાયણ  || હાલમાં સતપંથીઓ, સતપંથમાં પરણાવેલ દીકરીઓ, સતપંથ તરફી લોકો અને મવાળો – અલગ અલગ સમયે – અલગ અલગ જગ્યાએ – અલગ અલગ લોકોના મોઢે એકજ વાત સંભાળવા મળે છે. આ વાતથી સનાતની લોકોને અને ખાસ કરીને સનાતની બહેનોને ભાવુક કરીને નરમ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નોંધ પાત્ર વાત – ખાસ કરીને બહેનોએ નોંધ કરવી જોઈએ એવી વાત એ છે કે – આપણી સતપંથી બહેન, દીકરી કે નણંદ પણ સતપંથીઓની આ ચાલમાં શામેલ થઇને ભાવુક રીતે આપણને પીગળાવવાના પૂરે પુરા પ્રયત્નો કરી રહ્યા છે. તમે વિચારજો કે ક્યારે એ બહેન, દીકરી કે નણંદે કોઈ દિવસ સતપંથ છોડવાનો પ્રયત્ન કર્યો? હવે મૂળ વાત પર આવીએ. વાત એમ છે કે આ નવું પૈન્તરું શું છે? આ નવું પૈન્તરું છે કે સપંથમાં પરણાવેલ દીકરીઓ/બહેનોને ઢાલ બનાવીને વાપરવામાં આવી રહી છે. આવી બહેનોના મોઢે એવું કહેડાવે છે કે… ૧) અમારો શું વાંક? ૨) અમને અમારા વડીલોએ સતપંથમાં વાજતે ગાજતે […]