Series

91 posts

“Series” – Documents that enlighten people about Satpanth religion in general.
These are mainly the emails sent Real Patidar on the subject.

“Series” – એટલે કે સતપંથ ધર્મ પર માહિતી આપવા માટે ના હેતુ થી લખવામાં/બનાવામાં આવેલ દસ્તાવેજો/ઈ-મેલ
તેમાં Real Patidar (રીયલ પાટીદાર) દ્વારા મુકેલા ઈ-મેલ નો સમાવેશ છે.

Series 68 – “Moksh Via Islam – Satpanth Fir Benakab” (Reminding the vow of Janardhan Maharaj) / “મોક્ષ વાયા ઇસ્લામ – સતપંથ ફિર બેનકાબ” – (જનાર્દન મહારાજનું વચન યાદ કરાવવા માટે)

22-Jan-2017 The video is bit lengthy i.e., about 53 mins long. But it’s interesting to learn how religious conversions are done and Muslim preachers disguise themselves as Hindu Sadhus. આ “મોક્ષ વાયા ઇસ્લામ – સતપંથ ફિર બેનકાબ” હિંદી ભાષામાં ખાસ તૈયાર કર્યો છે કારણ કે ગુજરાતી સિવાયના અન્ય લોકો સુધી પણ બહુજ સચોટ રીતે, જરૂરી પુરાવાઓ સાથે, પરંતુ બને એટલા સંક્ષિપ્તમાં, સતપંથના પ્રચારકો દ્વારા આજ દિવસ સુધી ચલાવવામાં આવી રહેલા જુઠ્ઠાણાંઓને, ઉઘાડા પાડી સતપંથનો સાચો ઇસ્લામી ચેહરો બતાવી શકાય. સતપંથી (કહેવાતા હિંદુ) સાધુઓ દ્વારા જે પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે સતપંથ મોક્ષ મેળવવાનો સાચો રસ્તો છે, એ પ્રચારના માધ્યમથી હિંદુઓને અંધારામાં રાખીને, તેમની શ્રદ્ધાથી ખિલવાડ કરીને, તેમને કેવી રીતે ઇસ્લામના રસ્તા પર ચાલતા કરે દેવામાં આવે છે, તેની સંપૂર્ણ વિગત આ વિડીયો ઉજાગર કરે છે. ઈમામશાહ અને એમના દાદા પીર સદૃદ્દીન દ્વારા હિંદુ શાસ્ત્રોના આધારે તેમજ હિંદુ દેવી દેવતાઓની આડમાં, કેવી રીતે એક ઇસ્લામના દેવને, એટલે કે “નિષ્કલંકી નારાયણ”ને […]

Series 67 -Dual faces of Pirana Imam Shah Durgah / પીરાણા ઈમામશાહ દરગાહના બે ચેહરાઓ

16-Oct-2016 પીરાણા સ્થિત ઈમામ શાહ બાવાની દરગાહનો સાચો, પણ છૂપો ચેહરો જુવો… એક હિંદુ અને એક મુસલમાન ચેહરામાંથી સાચો ચેહરો બતાવતો આ વીડિઓ જોઇને તમને ખરેખર અસ્ચાર્યચકિત થઇ જશો. સતપંથના પ્રચારકો દ્વારા પોતાનું જુઠ ચલાવવા માટે કેવા કેવા નીતનવા હથકંડા અપનાવી રહ્યા છે, તે જોવાજેવું છે… અ વિડીયોમાં માટે હવે પછી, અગર કોઈ આપને કહે કે સતપંથ ધર્મ હિંદુ ધર્મ છે, તો તેને આ વિડીયો બતાવી દેજો. તમારું કામ ખુબ સરળ થઇ જશે. Full Size Video: https://youtu.be/51GSCT3q-2E WhatsApp Size Video: https://youtu.be/_pznw7hlbNc Real Patidar

Series 66 -Faizpur Temple admits Imam Shah is muslim / ફૈઝપુર મંદિર કબુલે છે કે ઈમામશાહ મુસલમાન છે

Date: 05-Oct-2016 ફૈઝપુરના સતપંથ મંદિરના ગાદી પતિ, શ્રી જનાર્ધન મહારાજના ગુરુ… શ્રી જગન્નાથ મહારાજ દ્વારા પ્રકાશિત… અને દાદા ગુરુ પુરષોત્તમ મહારાજ દ્વારા લેખિત… ઈમામશાહ બાવાના જીવનવૃત્તાંત પર લખેલ પુસ્તકમાં જણાવેલ છે કે… ઈમામશાહે તેમની ઓળખ આપતા કબૂલ કર્યું છે કે… પોતે મુલતાન ગામમાં (હાલ પાકિસ્તાન) માં, સૈય્યદ કુલમાં કબીરુદ્દીન બાબાના ત્યાં જન્મ લીધો. અને પોતે મુસલમાન હોવાનું પણ કબૂલ કર્યું છે. એ પુસ્તકના જરૂરી પાનાંઓની નકલને અહીં જોડેલ છે.  

Series 65 – Kolhapur Shankaracharya Certificate / કોલ્હાપુર શંકરાચાર્ય પ્રમાણપત્ર

તા. 20-Jul-2016 પીરાણા સતપંથ વિષે કોલ્હાપુર સ્થિત કરવીર પીઠના શંકરાચાર્યની ગાદીએ ઘણા વર્ષો સુધી બહુજ ઊંડાણ પૂર્વક કામ કરેલ છે. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત મૂળ ચાર પીઠોમાંના એક શૃંગેરી પીઠની આ પીઠ એટલે કે કરવીર પીઠ એક અધિકૃત શાખા છે. મહારાષ્ટ્રમાં લેવા પાટીદાર જ્ઞાતિ પણ આ પીરાણા સતપંથમાં ફસાયેલ છે. તે અંગે વર્ષ ૧૯૩૧માં જળગાવની આસપાસ રહેતા લેવા પાટીદાર સમાજના અમુક આગેવાનોએ પરમ પૂજ્ય શંકરાચાર્યજીનો સંપર્ક કર્યો અને ત્યાર બાદ શંકરાચાર્યજીએ ગહન અભ્યાસ કર્યો તેમજ ધર્મના વિદ્વાનો સાથે ચર્ચા કરી ને એવો નિષ્કર્ષ આપ્યો કે પીરાણા સતપંથ ધર્મ એ હિંદુ ધર્મનો ભાગ નથી, પીરાણા સતપંથ ધર્મ એ “વેદબાહ્ય” (એટલે કે વેદ પ્રમાણે નથી) છે, તેવું પ્રમાણિત કરતો પત્ર આપ્યો. (આ પત્ર મરાઠી ભાષામાં છે.) હાલની સતપંથ દ્વારા કરવામાં આવેલ હાલચાલ જેમાં સતપંથના પ્રચારક શ્રી જનાર્ધન મહારાજને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવેલ હકીકત, તેમજ સતપંથને કુંભમેળામાં આપવામાં આવેલ સ્થાનની હકીકતને ધ્યાનમાં રાખીને હાલના પરમ પૂજ્ય શંકરાચાર્યજીએ વિષયને ફરીથી હાથમાં લીધો અને ફરીથી […]

Series 64 – Satpanth Dasavatar – Clarification / સતપંથ દશાવતાર – જાહેર ખુલાસો

તા. 17-Jul-2016 સનાતન ધર્મ પત્રિકાના તા. ૧૧-૦૬-૨૦૧૬ વાળા અંક ના પાના ક્ર ૮ અમે ૯ માં છપાયેલ ખુલાસોના જાણવા જેવા મુખ્ય મુદ્દાઓ ખાસ નોંધ: આ જાહેર ખુલાસો આપણી સનાતની હિંદુ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની મુખ્ય ત્રણ સંસ્થાઓ એટલે કે… શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ ઉમિયા માતાજી મંદિર, વાંઢાય શ્રી અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ, દેશલપર … એ આપેલ છે. જેણે આપણી યુવાઓ અને માત્રુ શક્તિઓએ પણ સમર્થન કરેલ છે. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલાસંઘ માટે આ ખુલાસો ખુબ મહત્વનો છે જેણે સર્વે ધ્યાનમાં લેવો જરૂરી છે.   હિંદુ ધર્મના નામે ચાલતી, અર્ધદગ્ધ, કબ્રસ્તાની,પીરાણા સતપંથ દશાવતાર કથાનો, જાહેર ખુલાસો  ઈમામશાહ ઉર્ફે ઇમામુદ્દીન અબ્દુર રહીમ સૈય્યદ દ્વારા સ્થાપિત એક મુસલમાની પીરાણા સતપંથ ધર્મ પાળનાર અનુયાયીઓ અને તેમની સતપંથ સમાજ દ્વારા યોજાયેલ, કહેવાતી, દશાવતાર કથાના ભ્રામક ઉપદેશોના કારણે લોકોમાં ફેલાયલી મુંજવણ, હિંદુઓની દુભાયેલ લાગણી, લોકોમાં ફેલાયેલ અશાંતિ અને કોમી ઝગડાઓની સંભાવનાને રોકવા […]