પાટીદાર સંદેશ – મુખ મેં રામ બગલ મેં છુરી તા. ૧૭-૦૨-૨૦૧૫ (મહાશિવરાત્રી) પાટીદાર સંદેશ માસિકના ૧૦-ફેબ્રુઅરી-૨૦૧૫ના અંકના પાના ક્ર ૪૩ પર પાટીદાર સંદેશના શ્રી વિશ્રામ રતનશી રૂડાણીનો લેખ છાપેલ છે. તે લેખમાં સનાતનીઓ અને સતપંથીને જાણવા જોગ ખાસ ૭ મુદ્દાઓ છે. જે નીચે પ્રમાણે છે. તે પહેલા એ લેખની અહીં જોડેલ છે, જેમાં એ ૭ મુદ્દાઓના (પોઈન્ટના) સંદર્ભો દર્શાવેલ છે. પોઈન્ટ ૧: બન્ને પક્ષકરોને શા માટે સમાધાન કરવાનું કહો છો… સમાજની મિલકત ચોરી કરનારને જ માત્ર કહો કે ચોરેલી મિલકત પાછી આપી દે, સમાધાન થઇ જાય, બીજું કરવાનું શું હોય? પોઈન્ટ ૨: આપણું લખાણ વાંચવાથી એવું જણાય છે કે તમારી જે એકતા/સમાધાન અંગેની સલાહ છે એ ફક્ત સનાતનીઓ જ ધ્યાનમાં લેવાની હોય, તેમ એમને ઉદ્દેશીને જ લખવામાં આવેલ છે. સતપંથીઓને શા માટે સલાહ નથી અપાતી કે તેઓ ગેર માર્ગે છે અને સમાજની મુખ્ય ધારામાં ભળવા માટે સતપંથ સમાજ બંદ કરી સતપંથનો ત્યાગ કરી અને સનાતની ધારામાં ભળી જાય. કેન્દ્રિય […]
Other Emails
Update: 14-Jan-2017 – Changed links of attachments to archive.org 25-Jan-2015 સમાજ વિરૂદ્ધ પાટીદાર સંદેશની પડદા પાછળની લડાઈ Download / Print / View full article, attachments [Best Option]: https://app.box.com/s/1m5pk0g9xltozoo1olyyglgw4wpyojak https://archive.org/details/realpatidar_oe61 ઘણા સમયથી આપણે પાટીદાર સંદેશના તંત્રી લેખો પર નજર કરતા આવ્યા છીએ. તંત્રી લેખોના સંદેશાઓ પર ધ્યાન આપીએ તો સમજાશે કે તેમાં મુખ્ય ચાર મુદ્દાઓ હોય… પોતાની જ માલિકી અને સંચાલન હેઠળના સામાયીકમાં, પોતાના મોઢે, પોતાના જ વખાણ હોય છે. ભાગેડુ લગ્ન અને સગપણ સમસ્યાને જેમ તેમ કરીને ખોટી રીતે વિકરાળ સ્વરૂપ આપવાનો નાકામ પ્રયાસ કરેલ હોય. હાલની કેન્દ્રિય સમાજની ગરિમાને નુકસાન કરતું, તેમજ સમાજ અને મહિલા સંઘના નેતાઓની ક્ષમતા પર આશંકા વ્યક્ત કરતું અને તેમની ગરિમા ઓછી કરતું યુક્તિ-પૂર્વકનું લેખન હોય. યુવાસંઘ માટે પહેલા વખાણ હોય અને પછી તેમને પોતે ખોટી રીતે ઊભી કરેલ કહેવાતી વિકરાળ સમસ્યાનો ઉકેલ લાવવાની ભલામણ રૂપી ભ્રામક વાત કરીને યુવાસંઘને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો હોય. અને જો છેલ્લે જગ્યા બચે તો નાની મોટી બીજી વાતો […]
24-Oct-2014 – સર્વેને નુતન વર્ષાભિનંદન જય ઉમિયામાં જય લક્ષ્મીનારાયણ હમેશાથી સનાતની ભાઈઓ કહેતા આવ્યા છે કે સતપંથના ભાઈઓનો કોઈ ભરોસો નહિ. તેવો જુઠ્ઠાણાઓ ચલાવવામાં મહેર છે અને જુઠ્ઠાણાને ચલાવવામાં તેમની સંસ્થાઓ પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે મદદ કરે છે. હાલમાં આપણા એક સતપંથી ભાઈ છે શ્રી રતનશી લાલજી વેલાણી, ગામ દુર્ગાપુર વાળા. તેમને અને તેમના અમુક સાથીદારોને એક મોટી બીમારી થઇ છે. તેઓ ખોટી રીતે માને છે કે તેઓ પોતે સતપંથી હોવા છતાં, સનાતનીઓની માત્રુ સંસ્થા એટલે કે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, નખત્રાણાના તેઓ પ્રમુખ છે. અને છાપાઓમાં વારે ગડી જાહેર ખબર આપ્યા રાખે છે કે તેઓ અ.ભા.ક.ક.પા. સમાજના પ્રમુખ છે. અહીં નીચે એવા ખાટી જાહેરાતોના નમુના આપવામાં આવેલ છે… ઉપર બતાવેલ છાપાઓના કટીંગને મોટા કરવા માટે તેમના પર ક્લિક કરો… હવે વાત આટલાથી પૂરી નથી નથી. આમના જુઠ્ઠાણાઓ ચલાવવા માટે જમીની મદદ સતપંથ ધર્મ વાળાઓએ કરી છે. કારણ કે […]
“એકતા” હશે… તો “જગડો” થશે તા. ૨૯-૦૭-૨૦૧૪ એકતા હશે, તો જગડો થશે…. શું આ વાક્યમાં કંઇક અજુગતું નથી લાગતું. સામાન્ય રીતે એકતા હોય તો શાંતિ હોય, પ્રેમ હોય… જગડો ન હોય. તો પછી અહીં જગડો ક્યાંથી આવ્યો? હાલમાં મુંબઈ ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ નામની સંસ્થા છે (ટૂંકમાં ટ્રસ્ટ ફંડ), જેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરેલ છે. આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેનાર એક પક્ષનું નામ છે “એકતા” ગ્રુપ. આ એકતા ગ્રુપ/મંચ એજ છે જે એકતાની લોભામણીભરી વાતો કરીને, ભરમાવીને, લોકોને પોતાની તરફ આકર્ષી રહ્યું છે. તો ચાલો જોઈએ કે એકતાની આદર્શવાદી વાતો કરનાર લોકોના કર્મો કેવા છે. કારણ કે વાતો ગમે તેવી સારી કરતા હોય, વાસ્તવમાં માણસની સાચી ઓળખતો તેમના કર્મોથી જ થાય છે. A) એકતા મંચની પહેલી જાહેર સભા: આપ સૌને યાદ હશે કે તા.૨૩.૦૭.૨૦૧૨ના એકતા મંચના આગેવાનોએ ઉમિયા માતાજી મંદિર, વાંઢાય, કચ્છ ખાતે એક સભા બોલાવેલ હતી. એ સભા બોલવા પાછળનો હેતુ સનાતની લોકોમાં એકતા લાવવાનો […]
08-Jun-2014 આપણી માત્રુ સંસ્થા એટલે કે “શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ” દ્વારા ઉભી કરવામાં આવેલ “શ્રી લખુ વીરજી ધોળુ (દુર્ગાપુર) વિદ્યાર્થી છાત્રાલય” નામની હોસ્ટેલ છે. તે હોસ્ટેલ માટે જમીન ખરેદી, બાંધ કામ અને હોસ્ટેલનું સંચાલન સમાજ દ્વારા સ્થાપિત એક “નિર્માણ સમિતિ” દ્વારા કરવામાં આવતું હતું. અને કામ સારી રીતે ચાલતું હતું. આ હોસ્ટેલના તમામે તમામ હિસાબોને આપણી સમાજના હિસાબો સાથે સમાવીને ચેરીટી કમિશનર પાસે દર વર્ષે મોકલવામાં આવે છે. બધું બરાબર ચાલતું હતું ત્યારે આ નિર્માણ સમિતિના અમુક સ્વાર્થી સભ્યોએ સમાજને અંધારામાં રાખીને ચોરીછુપી રીતે આ મિલકતને પોતાનું એક પ્રાયવેટ ટ્રસ્ટ પાટીદાર સર્વોદય ટ્રસ્ટ બનાવીને તેમાં હોસ્ટેલને ફેરવાનું ગેરકાનૂની કામ કરેલ હતું. આ નવા ટ્રસ્ટમાં સતપંથી લોકો જેવા કે સતપંથ સમાજના માજી પ્રમુખ રતનશી લાલજી વેલાણી સભ્ય છે. આવા સમાજ વિરોધી કામ કરવામાં આપના સનાતની ભાઈઓ સતપંથીઓના એટલે કે મુસલમાનોના હાથા બની ગયા છે. આવી રીતે સતપંથીઓના હાથા બનીને સનાતની ભાઈઓજ સનાતનીઓના વિરુદ્ધમાં કામ કરીને આપણી સમાજને નુકસાન […]