28-Jul-2017 જય લક્ષ્મીનારાયણ, આ ઇમેલ સાથે, ક.ક.પા.(USA) સમાજના માજી પ્રમુખ અને પ્રખર મહિલા નેતા, શ્રીમતી રૂક્ષમણીબેન નાકરાણી તથા યુવાસંઘના માજી પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ ધનાણીની સતપંથ વિષે થતી ચર્ચાની ઓડીઓ ફાઈલ જોડેલ છે. આ ચર્ચામાં વચ્ચે વચ્ચે અમુક અન્ય ભાઈઓના અવાજો પણ સંભાળવા મળે છે, તેમાં CA ભવનભાઈ લીંબાણી, તેમજ દામોદરભાઈ કચ્છી છે. આ ચર્ચામાં રૂક્ષ્મણીબેન પોતાના દાદા, દાદી તેમજ તેમના પિતાને લઈને સતપંથ વિષેના પોતાના અનુભવો અને વિચારો રજુ કરેલ છે, જે દરેક મહિલાઓએ અનુસરવા જેવા છે. શ્રીમતી રૂક્ષ્મણીબેનની રાજા લઈને, શ્રી ગૌરાંગભાઈના અનુરોધથી, તેમને સૂચિત કરીને, તેમના મિત્રોએ આ ઓડીઓ રેકોર્ડીંગ મોકલેલ છે અને વિનંતી કરેલ છે કે આ રેકોર્ડીંગને જન જન સુધી પોહ્ચાડવામાં આવે. (ઉપર બતાવેલ બટન પર ક્લિક કરો….) Real Patidar Download: https://archive.org/details/rpoe67
Other Emails
Date: 23 April 2017 મુંબઈની કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં ચાલતી ગંદી અને સ્વાર્થી સામાજિક રાજરમતના શિકાર શ્રી મહેશ ધનજી વેલાણી (અંદરની તેમજ સચોટ જાણકારી સાથે છેલ્લા લગભગ પાંચ થી છ વર્ષની ઘટના ક્રમનું વિશ્લેષણ) (પોતાના અંગત સ્વાર્થ ખાતર કોઈ પણ કીમતે ઉચ્ચ પદ અને સત્તા મેળવવા માટે જુઠ્ઠાણા / અપપ્રચાર / છેતરપીંડી / દગાનો વાપર કરીને પોતાના રાજનૈતિક રોટલા શેકીશેકતા નેતાઓનો એક નમુનો) આ લેખ લખવાનું મુખ્ય કારણ છે સનાતન ધર્મ પત્રિકામાં, સતપંથી શ્રી દેવજી કરસન ભાવાણી અને શ્રી ઈશ્વર રામજીઆણીને, સનાતન સમાજ દ્વારા આપેલ શુભેચ્છા સંદેશનો ભારતભારમાં થતો બહુ મોટો વિરોધ. જે વિષે સંપૂર્ણ જાણકાર લોકો સામે મુકવાનો પ્રયાસ છે. શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં સતપંથ વિરુદ્ધ સનાતની ચળવળના ભાગ રૂપે કેન્દ્રીય સમાજના મુંબઈ ઝોનમાંથી મહામંત્રી શ્રી દેવજી કરસન ભાવાણીને કાઢવામાં આવ્યા અને શ્રી દેવજીભાઈને સાથ આપવાના અને ઝોનના વિરુદ્ધ જવાના કારણે તત્કાલીન ઝોનના પ્રમુખ શ્રી મનસુખ વેલાણીને ઝોનમાંથી કાઢવામાં આવ્યા. ત્યાર બાદ વર્ષ ૨૦૧૨માં કુખ્યાત માંડવી […]
06-Dec-2016 કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની પહલી મહિલા IRS અધિકારીને ખરા સમાજ સેવક તરફથી નમ્ર અપીલ છે કે તેમની વાણી અને વર્તનથી સમાજમાં શાંતિ જળવાય અને સમાજના સ્થાપક વડીલો અને આગેવાનો નું મન સન્માન જળવાય અને સનાતની સમાજના સભ્યોની ધાર્મિક લાગણી ન દુભાય તેવા નિવેદનો ન કરે. પોતાની શક્તિથી એવા લોકોની મદદ કરે કી જે લોકો સતપંથ ધર્મને હિંદુ ધર્મ છે તેવું માનવાની ભૂલ કરી રહ્યા છે. તમે તમારા નિવેદનમાં સ્પષ્ટ કહ્યું કે બે ધર્મ અલગ છે (જુવો અહીં જોડેલ તમારા ભાષણનો વિડિઓ), જેથી ચોખું સમજાય છે કે તમે સતપંથ અને સનાતન ધર્મ જુદા છે તે જાણો છો અને સમજો છો. વધારામાં તમે સમજો છો કે સતપંથ ધર્મ જયારે સનાતન ધર્મથી જુદો છે ત્યારે એ મુસલમાન ધર્મ છે, હિંદુ ધર્મ નથી. તમે ભલે સતપંથ ધર્મને બિન-હિંદુ ધર્મ સમજીને પાળો છો, તે માટે તમને અમારી શુભેચ્છા. પણ જે લોકો આ ભેદ નથી સમજ્યા અને સતપંથ ધર્મને સનાતન ધર્મ સમજે છે, તેને તમે […]
તા.૨૬ મે ૨૦૧૬ 🚩🚩🚩🚩🚩🚩 તા. ૨૧.૦૫.૨૦૧૬ ના પૂ. નારાયણ રામજી લીમ્બાણીને સમાજના સારસ્વતોની અનોખી સનાતની શ્રધ્ધાંજલી ✍🏻🖊🖊🖊🖊✍🏻 SHRI ABKKP SANATAN EDUCOS ની સ્થાપના 👉 આજ રોજ તા. ૨૧.૦૫.૨૦૧૬ના આપણા આધ્ય સમાજ સુધારક પ.પૂ. નારાયણ રામજી લીમ્બાણીને સમાજના બૌધિક સારસ્વત મિત્રોની એક મીટિંગ ટ્રિનિટી સ્કૂલ – તલોદ ખાતે યુવાસંઘની Education & Talent Hunt કમિટીદ્વારા આયોજીત કરવામાં આવેલ. 👉 ગુજરાતભરમાંથી વિસ્તાર વાઇઝ 40 જેટલા જવાબદાર સભ્યો હાજર રહેલ. 👉આ મિટીંગમાં યુવાસંઘ વતી ડો. વસંત ધોળુ (મહામંત્રી) કિરીટ પોકાર (એજ્યુકેશન લિડર) અને અશોક ભાવાણી, નિલેશ સુરાણી, નરેન્દ્ર રુશાત અને દિપેસ સુરાણી હાજર રહેલ. 👉સઘન ચર્ચા વિચારણાના અંતે ભારતભરના Education field સાથે સંકળાયેલ સમાજના સનાતન મિત્રો દ્વારા SHRI ABKKP SANATAN EDUCOS ની રચના કરવામાં આવી 👉 તેમા આપણી કેન્દ્રીય સમાજ ના નિયમોનુ પાલન કરનાર શિક્ષણવિદો જ સભ્ય બની શકશે. 👉 SHRI ABKKP SANATAN EDUCOS દ્વારા સમાજ અને યુવાસંઘ સાથે રહી વિધ્યાર્થી – વાલી ઉપયોગી શૈક્ષણિક પ્રવ્રુત્તિઓ કરવામાં આવશે. 👉 આગામી 7-8 Nov.-16 ના રોજ […]
25-Feb-2015 રીયલ પાટીદાર દ્વારા, પાટીદાર સંદેશની સનાતનીઓની લાગણી દુભાવતી નીતિઓને આમ જનતા સામે ખુલ્લા પડતા છેલ્લા બે ઇમેલ… https://www.realpatidar.com/a/oe61 -સમાજ વિરુદ્ધ પાટીદાર સંદેશની પડદા પાછળની લડાઈ…. અને https://www.realpatidar.com/a/oe62 -પાટીદાર સંદેશ – મુખ મેં રામ બગલ મેં છુરી … ની સમાજમાં બહુજ મોટી અસર પડી અને જાહેર જનતાને સમજાવવા લાગ્યું કે પાટીદાર સંદેશ કેવી છુપી અને છેતરામણી રીતે સતપંથીઓને સમાજમાં દાખલ કરાવીને આપણી માતા સમાન સનાતની સમાજને ભ્રષ્ટ કરવાનું કાવતરું કરી રહ્યું છે. પરિણામે પાટીદાર સંદેશના પગ પણ ડગમગવા લાગ્યા અને તેમના લોકો જેમ કે તંત્રીઓ અને પ્રતિનિધિઓ લોકોને ફોન કરીને પોતાની સફાઈ આપવા લાગ્યા. લાગે છે કે તેમના પર એટલી મોટી અસર થઇ ચે કે રીયલ પાટીદારના આ બે ઇમેલ પર ઠોસ જવાબ આપવાની હિંમત આજ સુધી પાટીદાર સંદેશ કે શ્રી શામજીભાઈ કરી શક્યા હોય, તેવું કંઈ હજી સુધી દેખાયું નથી. પાટીદાર સંદેશનું નામ લઇને કોઈક અનાધિકૃત માણસે ઇમેલ લખ્યા છે પણ જ્યારે પૂછવામાં આવ્યું કે પાટીદાર સંદેશ દ્વારા અધિકૃત […]