Group Emails

18 posts

Important and relevant emails sent other group members on realpatidar@googlegroups.com.

માહિતી આપતા ઈ-મેલ, જે realpatidar@googlegroups.com ગ્રુપ ના અન્ય સભ્યો દ્વારા મોકલવામાં આવ્યા હોય.

GE 18 -Mandvi Hostel Scam -Comprehensive Coverage Patidar Bandhu

23-Oct-2012 ||  જય લક્ષ્મીનારાયણ   || તા. ૨૩.૧૦.૨૦૧૨ના પાટીદાર બંધુના તંત્રી શ્રી બ્રિજેશભાઈએ ઈમેલ (patidarbandhu@gmail.com) દ્વારા, રીયલ પાટીદાર ગુગલ ગ્રુપના (realpatidar@googlegroups.com) સભ્યો માટે, તેમના ઓક્ટોબર ૨૦૧૨ના અંકમાં છપાયેલ માંડવી હોસ્ટેલ કૌભાડના વિસ્તૃત સમાચારો મોકલેલ છે. જે અહીં નીચે મુજબ છે… https://archive.org/details/rpge018 Real Patidar

GE 17 -Avichaldas -Meeting dt 18-May-2011 / અવિચલદાસ મિટિંગ તા.૧૮.૦૫.૨૦૧૧

See how, Avichaldas, the hindu religious leader, who openly certified Satpanth as Hindu Religion, but secretly acknowledges that it is a Muslim religion. જુવો, કેવી રીતે અવિચલ દાસ, એક હિંદુ ધાર્મિક નેતા, જેણે ભલે જાહેરમાં સતપંથને હિંદુ ધર્મનું પ્રમાણ પત્ર આપ્યું છે, પણ વાસ્તવિકતામાં અંદર ખાને સતપંથણે મુસ્લિમ ધર્મનો ફાંટો ગણે છે. From: Rameshbhai Vagadiya <rameshbhaivagadiya@gmail.com> Date: 2011/8/2 Subject: Fwd: Report To: realpatidar@googlegroups.com સર્વે સનાતની કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિજનો જોગ આપ સૌ સુવિદિત છો કે થોડા સમય પહેલાં સંતશ્રી અવિચલદાસજી પાસે થી સત્પનથી ભાઈઓએ એક પત્ર મેળવ્યો હતો અને તે પત્રોની નકલો બનાવી ગામે ગામ મોકલાવી હતી. એ પત્રની અસર સનાતની ભાઈઓ ઉપર તો બિલકુલ નોતી થઇ છતાં પણ આપણી કેન્દ્રીય સમાજને અને તેના હોદ્દેદારોને એમ થયું કે તે પત્રનો કરારો જવાબ સંતશ્રી અવિચલ્દાસ્જીને આપીએ. તે પ્રમાણે એક પત્ર લખવામાં આવ્યો હતો પણ તે પત્રનો સ્વામી શ્રીએ સ્વીકાર કર્યો ન હતો. માટે તે પત્રને હાથો હાથ આપવા માટે કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી અને […]

GE 16 – Arya Samaj does not recognise Satpanth as Hindu sect / આર્ય સમાજ, સતપંથને હિંદુ ધર્મ તરીકે નથી માનતું

25-May-2011 From: Mahesh sethia naeshsethia@gmail.com Date: 2011/5/25 Subject: સત્પનથી ભાઈઓ નાં હવાતિયાં To: gurugadi@gmail.com, gurugadi@hotmail.com, swamihansdass@yahoo.com, swamihansdass@gmail.com, jagadgurubhanpura@india.com, jagadguru@india.com, realpatidar@googlegroups.com, Pradeep Nathani pradeepnathani@gmail.com, Real Patidar mail@realpatidar.com સત્પનથી ભાઈઓ નાં હવાતિયાં ૧. ખબર આવ્યા છે કે ૫૦  જેટલા સત્પનથી ભાઈઓ આર્યસમાજ પાસે પોતે હિંદુ છે તે પુરવાર કરવા માટે સર્ટીફીકેટ લેવા ગયા હતા. તેઓ આર્ય સમાજના આચાર્ય જ્ઞાનેશ્વરજી ને મળ્યા હતા. પ્રખર આર્ય સમાજી જ્ઞાનેશ્વરજી મહારાજે આ ૫૦ સત્પન્થીઓની ઉલટ તપાસ લીધી અને એવા એવા પ્રશ્નો પૂછ્યા કે આ સત્પન્થીઓ પોતાનું મોઢું છુપાવવા ત્યાં થી ઉભી પૂછડીએ ભાગ્યા. ૨. બીજા દિવસે ફરી પાછા ૧૫ જેટલા યુવાન ખાંટી ખાનાઈઓ – સત્પન્થીભાઈઓ આચાર્ય જ્ઞાનેશ્વરજી મહારાજ પાસે ગયા પણ તેમનું કંઈ ચાલ્યું નહિ. આ ખાનાઈઓ હવે પોતે હિંદુ છે તે પુરવાર કરવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે. ૩. જુવો તો ખરા કેવાં હવાતિયાં મારવા માંડ્યા છે આ સત્પનથી ભાઈઓ. બાવા ઈમામાંશાહ અને કબરની પૂજાને મુકવી નથી અને કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ જે સનાતની […]

GE 15 – South India, Chennai, Samaj -Satpanthis Banned / દક્ષિણ ભારત, ચેન્નાઈ, સમાજ, સતપંથીઓનો બહિષ્કાર

17-Jan-2011 From: Laxminarayan Sanatan Hitchintak sanatanhitchintak@gmail.com Date: 2011/1/17 Subject: દક્ષીણના સનાતાનીઓએ સતપંથ નો ગઢ હવે જીત્યો To: realpatidar@googlegroups.com, Pradeep Nathani pradeepnathani@gmail.com Cc: Nitesh Chhabhaiya, Khanti Satpanthi nitesh.chhabhaiya@gmail.com ખબર આવ્યા છે આનંદ ના. તે પણ દક્ષીણ ભારત માં થી. ટરા રા રા રા…….ટરા રા રા રા …….. સર્વે સનાતની ભાઈ-બહેનો. ગણા દિવસના સનાતાનીઓના પ્રયત્નો પછી એક સફળતા મળી છે સનાતાનીઓને તે પણ દક્ષીણ ભારતમા કે જ્યાં મુમના સત્પન્થીઓનો ગઢ છે. સનાતાનીઓએ બરાબરનું બાકોરું સત્પન્થીઓના ગઢમા પાડ્યું છે. વાત એમ છે કે; ૧. દર વરસની જેમ આ વરસે પણ આખા તામીલનાડ અને કેરાલાના જ્ઞાતિ બંધુઓની સામાન્ય સભા કુમ્ભકોણમમાં ઉતરાયણના દિવસે મળેલ હતી. ૨. આ સભામાં દક્ષીણ ભારતના એક એક સત્પનથી ત્યાં હાજર રહ્યા હતા બૈરી – છોકરાં સહીત. આગલા દિવસે એટલે તા.૧૪.૦૧.૨૦૧૧ના દિવસે કારોબારી સભામાં સનાતાનીઓ એ સત્પન્થીઓ ઉપર હાવી થઈને પુરવાર કર્યું હતું કે પાખંડી પીરાણા સતપંથ આપણી જ્ઞાતિને લાયક ધર્મ નથી. ને કેન્દ્રીય સમાજના આદેશોને આપણે ચુસ્તપણે પાલન કરવું પડશે એવું નક્કી થયું હતું. […]

GE 14 – Manibhai Mummi, Unjha’s view on Pirana Satpanth -Audio / ઉંજા વાળા મણીભાઈ “મમી”ના પીરાણા સતપંથ બાબતે મત -ઓડીઓ

11-Jan-2011 From: Rameshbhai Vagadiya rameshbhaivagadiya@gmail.com Date: 2011/01/11 Subject: ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા ના વડીલ મણીભાઈ પટેલ ‘મમ્મી’ નો પીરાણા સતપંથ બાબત મત તેમના મુખેથી To: Editor Patidar Sandesh <info@patidarsandesh.org>, Editor Patidar Saurabh <patidarsaurabh@yahoo.co.in>, Editor Uma Darpan <umadarpan@rediffmail.com>, Real Patidar Groups <realpatidar@googlegroups.com> કચ્છ કડવા પાટીદાર સનાતની ભાઈ બહેનો જોગ, તા.૧.૦૮.૨૦૦૯ ના દિવસે હું અને હિંમતભાઈ પહેલી વખત મુંબઈથી કચ્છ જવા નીકળ્યા ત્યારે સનાતન ધર્મ બાબતે કેન્દ્રીય સમાજમાં જાગૃતિ લઇ આવવી છે એવો વિચાર મનમાં ભલે હતો પણ આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ આટલી જલ્દી સનાતની જ્ઞાતિમાં જાગૃતિ લઇ આવશે એવો વિચાર નોતો કર્યો. પણ હા, વિશ્વાસ જરૂર હતો કે જ્ઞાતિમાં સનાતન ધર્મ બાબતે જાગૃતિ જરૂર આવશે. આ ધર્મ જાગૃતિ – કેન્દ્રિય સમાજ જાગૃતિ અભિયાનમાં ના ધારેલ વ્યક્તિઓનો સાથ મળ્યો. તે સર્વેનો ઉલ્લેખ અત્યારે કરવા નથી માગતો. પણ એમાંની એક વ્યક્તિ અમોને એવી મળી કે જેને આપણી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ માટે ભારોભાર માન છે. આ વ્યક્તિને આપણી જ્ઞાતિના, આપણી સમાજના ઈતિહાસનું એટલું બધું જ્ઞાન […]